ધ્રુવીય અણુઓ કોને કહે છે ? તેના ઉદાહરણ લખો. અને અધુવીય અણુઓ કોને કહે છે ? તેના ઉદાહરણ લખો.
સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. જો પ્લેટો વચ્ચેના અવકાશને $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકમાં પદાર્થ વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ હોય તો કેપેસિટરનો નવો કેપેસિટન્સ શોધો.
ડાઇઇલેક્ટ્રિકના પ્રકારો લખીને સમજાવો અને દરેકના ઉદાહરણ આપો.
વિદ્યુતભારની ધ્રુવીભવનનો સિધ્ધાંત કોણે સાબિત કર્યો હતો?
$1 \,pF$ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને મીણ ભરી દેતાં નવો કેપેસિટન્સ $2\, pF$ થાય છે.તો મીણનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો થાય?
પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા કેેપેસિટરને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે બેટરી દૂર કરીને કેપેસિટરને $k$ ડાઇઇલેકિટ્રક અચળાંકથી ભરી દેવામાં આવે છે. $Q$ , $E$ અને $W$ એ પ્લેટ પરનો વિદ્યુતભાર,બે પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર અને ડાઇઇલેકિટ્રક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય છે.તો નીચેનામાથી કયું ખોટું થાય?